________________
૫૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
“જિનેશ્વરની ભક્તિ-ભાગ ૨” અને “ભક્તિને ઉપદેશ” એ બને પાઠમાં ગદ્યપદ્ય દ્વારા, ઉત્તમ નિમિત્તના સંગે આપણું ભાવ ઉલાસ પામે છે અને તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે, તે વિષે વિવેચન છે. | લક્ષમી, મહાન કુટુંબ, પુત્ર અને અધિકારની પ્રાપ્તિને લેક મહત્તા માને છે. તેમાં મહત્તાને બદલે લઘુતા છે એમ સાબિત કરી, આત્માની મહત્તા તે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય, પરોપકાર અને સમતામાં રહી છે તે દર્શાવવા “ખરી મહત્તાને પાઠ લખે છે.
જગતમાં માન ન હોત તે અહીં જ મોક્ષ હત” એ વાક્યની યથાર્થતા દર્શાવતું ભરત ચકવર્તીના ભાઈ બાહુબળનું દૃષ્ટાંત ટૂંકામાં “બાહુબળ” નામના પાઠમાં આપ્યું છે.
પછી “ચાર ગતિ” અને “સંસારને ચાર ઉપમા” વિષે ત્રણ પાઠ આપી સંસાર દુઃખમય અને અસાર છે એમ ઉપદેશી વૈરાગ્યમાં પ્રવેશ કરાવ્યો છે અને તે વૈરાગ્યની વૃદ્ધિ થાય તેવું “બાર ભાવના” વિષે સંક્ષિપ્ત વિવેચન છે. આ જ પાઠને વિસ્તાર કરી દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષાથી વિશેષ વિવેચન કરી “ભાવનાબેધ” નામના લઘુ ગ્રંથની રચના કરી છે.
કાત્સર્ગ એટલે કાયાની ઉપેક્ષા કરી આત્મસ્વરૂપમાં રહેવાની પ્રતિજ્ઞા અમુક કાળ સુધી કરવી અને તેમાં કેવી દ્રઢતા રાખવી તેનું દ્રષ્ટાંત “કામદેવ શ્રાવક”ના પાઠમાં આપ્યું છે અને હાલના શ્રાવકોની ધર્મદ્રઢતા એક પાઈ જેવા લાભ માટે ધર્મશાખ કાઢે તેવી છે તેને ખેદ પ્રગટ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org