SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાળા બાલાવબેધ ૪૭ પાઠમાં તેમણે દર્શાવી છે. મેક્ષમાળામાં પાઠ ૬૦, ૯૭ અને ૧૦૬ માં પણ એ માન્યતા કેવા વિચારથી થઈ છે તેનું કંઈક ખ્યાન આપેલું છે તે નીચેના ઉતારા વાંચવાથી સ્પષ્ટ સમજાય તેમ છે – બીજા ધર્મમમાં તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારો નથી. કેટલાક જગતકર્તાને બંધ કરે છે પણ જગતકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતું નથી.” પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઈચ્છે છે કે જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તે નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનેને શીધ્ર એંટી રહે છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જે એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે ક્યા ન્યાયથી કહે છે? જગતકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે? એમ એક પછી એક ભેદ રૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી? રચ્યું તે સુખદુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મત શા માટે મૂકયું? એ લીલા બતાવવી કેને હતી ? રચ્યું તે કયા કર્મથી ર? તે પહેલાં રચવાની ઈચ્છા કાં નહોતી ? ઈશ્વર કેણ? જગતના પદાર્થ કેણ? અને ઇચ્છા કેણ ? રચ્યું તે જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું, આમ ભ્રમણમાં નાખવાની અવશ્ય શી હતી? કદાપિ એ બધું માને કે એ બિચારાની ભૂલ થઈ ! હશે! ક્ષમા કરીએ, પણ એવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy