________________
૪૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ તથા આત્મજ્ઞાની ગુરુના બોધ વિના યથાર્થ સ્વરૂપે ત્રણે તત્ત્વ સમજાવા મુશ્કેલ છે એટલું પણ દ્રઢતાથી સમજાય તે તેવા ગુરુની શોધમાં આત્માર્થી જીવ રહે અને અન્ય કાર્યો કે અન્ય પ્રસંગમાં બધું જીવન વહ્યું જવા ન દે, એ લક્ષથી ટૂંકામાં ત્રણે તત્વની માત્ર રૂપરેખા દર્શાવી છે. “પ્રજ્ઞાવધની સંકલનામાં આ ત્રણે તત્ત્વને વિશેષ વિચાર દર્શાવવાને અભિપ્રાય રાખ્યો લાગે છે.
પછી સત્યધર્મની પ્રાપ્તિ જેને થઈ છે તે ગૃહસ્થ કેવી રીતે વર્તે તે ઉત્તમ ગતિ પામે તે વિષે સૂત્રાત્મક પણ સુંદર માર્ગદર્શક પાઠ લખે છે.
જિનેશ્વરની ભક્તિ વિષે બે પાઠ અને ભક્તિ વિષે એક કાવ્ય લખ્યું છે. તેમને પ્રથમને પાઠ સંવાદરૂપે લખેલે છે અને સવ કેને કહેવા તે વિષે ચર્ચા કરીને “શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વ દૂષણરહિત, કર્મ મલહીન, મુક્ત, નીરાગી, સકળ ભય રહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે” એમ સાબિત કર્યું છે.
તેર વર્ષ સુધીની “સમુચ્ચય વયચર્યામાં પિતે જણાવ્યું છે કે પ્રથમ જગતકર્તામાં શ્રદ્ધા હતી, પછી જન્મભૂમિના જૈનેના સંસર્ગથી તથા પ્રતિકમણાદિ પુસ્તકોના વાંચનથી જિનેશ્વર દેવ ઉપર પણ શ્રદ્ધા થઈ હતી. પછીના કાળમાં વૈરાગ્ય અને વિચારના બળે એક જિનેશ્વર દેવ ઉપર શ્રદ્ધા દ્રઢ થયેલી અને બીજા શિવ, વિષ્ણુ આદિ દેવની ભક્તિ મેક્ષ આપે તેવી લાગતી નથી એવી માન્યતા થયેલી સ્પષ્ટ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org