________________
મોક્ષમાળા બાલાવબેધ
યુવાન-યુવતીઓને આકર્ષક લાગે તેવી ભાષા અને શૈલીથી ત્રણ પાઠમાં વર્ણવી સમ્યક્દર્શન કે આત્મજ્ઞાન માટે મનુષ્યદેહ ઉપરાંત આત્મજ્ઞાની ગુરુના ઉપદેશની જરૂર છે તે સિદ્ધ કર્યું છે. “ભાવનાબેધ” પ્રથમ છપાવ્યું છે તે ગ્રંથમાં પણ અશરણ ભાવનાના ઉદાહરણમાં આ જ કથા પિતે મૂકેલી છે.
જેણે નરકનું આયુષ્ય બાંધ્યું હતું એવા શ્રેણિક રાજાને પણ સદ્ગુરુને યાગ થતાં ભાવ ફરી ગયા અને આત્માનું ઓળખાણ થયું તથા જીવનની દિશા બદલાઈ જતાં શ્રી મહાવીર સ્વામીના ગે એવા ધર્મભાવમાં રંગાઈ ગયા કે નરકમાં જઈ આવી આવતા ક૫માં તે પિતે તીર્થંકર બની અનેક ભવ્ય
ના ઉદ્ધારક બનશે.
જેમ રત્નની પરીક્ષામાં ભૂલથાપ કઈ ખાઈ જાય, તે હજાર કે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે તેમ ગુરુને ગ્રહણ કરવામાં ભૂલ આવે તે ધર્મને નામે ધાડ પડે. માટે સદેવ અને સધર્મનું સ્વરૂપ સમજાવનાર ગુરુ સત્સ્વરૂપ એટલે આત્મપ્રાપ્ત પુરુષ હશે તે તરવાને માર્ગ હાથ આવશે, એમ જાણ પછીને ચાર પાઠમાં સદેવનું માહા..., સદ્ગુરુની ગ્યતા અને મહત્તા તથા સદુધર્મનું સ્વરૂપ સંક્ષેપમાં દર્શાવ્યું છે.
ધર્મ એ ગહન વિષય છે. પરંતુ તેમાં પ્રવેશ કરનારનું મહત્વની બાબતે તરફ લક્ષ દરવવા પૂરતા આ પાઠ લખેલા છે. પરંતુ જેમ જેમ જીવની યેગ્યતા વધે તેમ તેમ તેને વિશેષ વિચાર કરી શકે. તેમ છતાં આ ત્રણ તત્વ–દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ યથાર્થ જાણવાથી જ સધર્મમાં પ્રવેશ થશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org