SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કોઈ યોગ્ય આત્માને યા ધર્મનું મૂળ છે” કે અહિંસા પરમ ધર્મ છે' એમ વિચારતાં આત્મધર્મનું એળખાણ થઈ જાય, તેવું પ્રથમ કાવ્ય અત્યંત મહત્ત્વનું છે. ૪૪ કોઈ વિચારવાન જીવાને આ જગતની વિચિત્રતા વિચારતાં પણ આત્મજ્ઞાન થયું છે. વર્તમાન સ્થિતિના વિચાર કરતાં પૂર્વભવનું સ્મરણ થયું છે, અને તેથી પહેલાં હતા, હાલ છે અને અનંતકાળ સુધી રહેશે એવા શાશ્વત આત્માનું અસ્તિત્વ અને ઓળખાણ થયું છે. તે વિચારમાં પ્રેરવા કર્મના ચમત્કાર’’ નામે ત્રીજો પાઠ બાળકોને સમજાય તેવી સરળ છતાં અસરકારક ભાષામાં—જીવ ખધેલાં કર્મ ભેળવે છે—એ વિષે યેાજ્ગ્યા છે. ખાંધેલાં કર્મથી જીવ છૂટી શકે છે અને સર્વ કર્મથી મુક્ત થઈ મેાક્ષ પ્રાપ્ત કરવાનું પ્રથમ સાધન મનુષ્યદેહ છે. તેની મહત્તા આત્મધર્મ આરાધવાથી છે પણ મનુષ્યની આકૃતિથી નથી. વાંદરાને પણ મનુષ્યને મળતી આકૃતિ છે વગેરે ઉપદેશથી તથા મહાપુરુષા અલ્પ વયમાં પણ આત્મા ઓળખી મનુષ્યજીવન સફળ કરી ગયા છે, માટે મરણ આવતા પહેલાં ચેતી જવા માટે માનવદેહ' નામના પાઠ ચેાથા મૂકયો છે. દૃષ્ટાંત અને કથાએથી ઉપદેશની ઊંડી છાપ પડે છે. કડવી પણ હિતકારી ગાળી ગાળે વીંટીને ખવરાવવાથી રુચિ સહિત બાળકો ખાઈ જાય છે, તેમ શાસ્ત્રોમાં પણ ઉત્તમ સિદ્ધાંત સમજાવવા કથાનકના ઉપયાગ થયેલા છે. ઉત્તરાધ્યયન' નામના જૈન શાસ્ત્રમાં શ્રેણિક નામના મહારાજાને અનાથી મુનિના સમાગમે આત્મપ્રકાશક એધથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે વાત છે. તે વાત આજના જમાનાનાં For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy