________________
મોક્ષમાળા બાલાવબોધ જાય છે. આ લેકમાં અપકીર્તિ પામે છે, તેમ જ પરલેકમાં નીચ ગતિએ જાય છે.....
તમે કોઈ પ્રકારે આ પુસ્તકની અશાતના કરશે નહીં, તેને ફાડશે નહીં, ડાઘ પડશે નહીં કે બીજી કઈ પણ રીતે બિગાડશે નહીં. વિવેકથી સઘળું કામ લેજે. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે.
તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય, અને તેની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું.
તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.”
બાળપ્રસ્તાવના, આશિષ અને સૂચનારૂપે પ્રથમ પાઠ જણાવી, આ ગ્રંથના પાયારૂપ “સર્વમાન્ય ધર્મ” નામે ઉત્તમ કાવ્યમાં દયાનું સ્વરૂપ કે “એ ભવતારક સુંદર રાહ” બતાવ્યો છે અને ઊંડો વિચાર કરવા પણ સૂચના આપી છે. “તત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે.”
જ્ઞાની પુરુષોનાં વચનમાં અપૂર્વ ચમત્કાર રહેલે છે; તે આત્માને જાગ્રત કરનાર છે. કોઈ જીવ એક જ વાક્યથી આત્મજ્ઞાન પામ્યા છે. અષ્ટાવકે જનકવિદેહીને “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” એટલું જ જણાવતાં “પિંગડે પગ ને બ્રહ્મ ઉપદેશની કહેવત પ્રમાણે તેમને આત્મસ્વરૂપ સમજાતાં વાર ન લાગી અને કોઈને માટે અનેક ગ્રંથના ઉપદેશની જરૂર પડે છે. તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org