________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સ્ત્રીનીતિ બેધક માં અનીતિ દૂર થાય અને નીતિ, સદાચાર પ્રત્યે પ્રેમ થાય તે પ્રકારે સત્ય, શીલ, ઉદ્યમ આદિ વિષયને વિસ્તાર મર્યાદિત પ્રમાણમાં કર્યો છે અને આ પુષ્પમાળા'માં સૂત્રાત્મક વાક્યોની શૈલીથી ઘણે અર્થ ટૂંકા વાકયોમાં સમાય તે પ્રકારે ૧૦૮ બેલ લખ્યા છે. તે વાકયો વાંચનારની બાહ્યવૃત્તિ રેકી પિતાને આજે કે હવે પછી શું કરવું ઘટે તે વિચારમાં પ્રેરે તેવાં છે, અને નીતિ, વ્યવહારની સાથે ધર્મ પ્રત્યે વૃત્તિ વાળે તેવા છે. વાંચનારની વિચારશક્તિ ઉત્તેજિત કરી, શબ્દસમૂહ પાછળ રહેલા અર્થ અને પરમાર્થના પ્રદેશમાં પ્રવેશ કરવાની પ્રેરણા કરે એવાં ટૂંકાં પણ તીર્ણ બાણની પેઠે ઊંડા ઊતરી જાય તેવાં તે વાક્યો છે. આ વાક્યો છપાયેલાં હોવાથી એક વાર વાંચી જવાથી પણ વિચારવાન મનુષ્યને તેનું મહત્વ જણાયા વિના નહીં રહે એટલે તેમાંથી અવતરણ આપવા કરતાં માત્ર વાંચવાની ભલામણ કરીને વિરમું છું. છેલ્લા ૧૦૮મા બોલમાં પિતે જ જણાવ્યું છે? “લાંબી ટૂંકી કે કમાનકમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગલદાયક થશે. વિશેષ શું કહું ?”
મોક્ષમાળા’ વિષે સં. ૧૫૫માં શ્રીમદે પોતે જણાવ્યું છેઃ
“મોક્ષમાળા અમે સેળ વરસ અને પાંચ માસની ઉમ્મરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર શાહી ઢળાઈ જતાં તે પાઠ ફરી લખ પડ્યો હતો, અને તે ઠેકાણે “બહુ પુણ્ય કેરા પુંજથી’નું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org