________________
S
મોક્ષમાળા બાલાવબોધ
જેમ ગંગા નદી ઊંચા હિમાલય પર્વતના સરેવર અને ઝરણુંનાં પાણીના પ્રવાહને વહાવતી પથ્થરના સમૂહમાં થઈને અનેક આશ્રમ, ગામડાં, ગુરુકુળ અને શહેરે તથા વનઉપવન અને ક્ષેત્રને ઉપકાર કરતી સપાટ પ્રદેશમાં મેટા પટ સહિત યમુના આદિ નદીઓમાં ભળી સાગરમાં જઈને સમાય છે તેમ શ્રીમદ્ રાજચંદ્રની પ્રજ્ઞા પૂર્વે આરાધેલા અનેક મહાપુરુષના ઉપદેશામૃતના સંચયના સરેવરમાંથી ઉદ્દભવી અનેક વિષયના ગ્રંથેના વાંચનને સાર સંગ્રહી અનેક મુશ્કેલીઓ વટાવીને પિતાના પરિચિત અપરિચિત નરનારીઓ, બાળક– યુવાન-વૃદ્ધ, પુસ્તકાલય, શાળાઓ, શિક્ષકો અને અનેક જમાનાની પ્રજાને ઉપકાર કરતી વિશાળ અનુભવ પ્રગટ કરતી મેક્ષમાર્ગને ઉપયોગી વૈરાગ્ય, વિવેક અને ઉપશમને વિસ્તારતી આત્માની અનંત શક્તિઓના નિધાનરૂપ મેક્ષમાં સમાય છે.
વાંચન, સ્મરણ, વિચાર, નિર્ધાર અને તેને વારંવાર અભ્યાસ, ભાવનારૂપ પરિણુમાવવાથી જે અનુભવને આનંદની વૃદ્ધિ પિતાને પ્રગટતી તેની વાનગીરૂપ ખાનગી નોંધ, પત્ર કે પુસ્તક આકારે પ્રગટ થતાં અન્ય જીવોને લાભ થતે, તેવાં લખાણોને સંગ્રહ “શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકમાં થયેલો છે. તેમાં પ્રથમ પ્રસિદ્ધ થયેલી “પુષ્પમાળા” છે. સોળ વર્ષ પહેલાંનાં લખાણમાં એ ગણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org