________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
પાછળના બે ભાગ લખાયા જણાતા નથી. આ પ્રથમ ભાગ જોતાં એમ અનુમાન થાય છે કે જો બન્ને ભાગ લખાયા હાત તે સ્રીસાહિત્યમાં અગ્રભાગ ભજવે તેવા ગ્રંથા શ્રીમદે લખ્યા હાત.
૩૧
‘સ્ત્રીનીતિાધક’ને અંતે જાહેર ખબરમાં લખેલું છે કે “કાવ્યમાળા એ નામનું એક સુનીતિબાધક પુસ્તક મેં રચીને તૈયાર કરેલું છે, જેની અંદર એકસો ને આઠ કાવ્યા છે અને તેના ચાર ભાગ પાડેલા છે. તેનું કદ બસે પૃષ્ઠનું થશે. અગાઉથી ગ્રાહક થનાર પાસે રૂ. ૦-૧૦-૦ લેવામાં આવશે.... નીતિદર્શક પુસ્તકોના ફેલાવા થવાના આધાર પ્રજા પર રહે છે.” આ કાવ્યમાળા પ્રસિદ્ધ થઈ છે કે નહીં તેની માહિતી મળી નથી. લખેલી નકલ પણ મળી શકી નથી.
કાઈને એમ પ્રશ્ન થાય કે નીતિનાં પુસ્તકો લખવાની આ મહાપુરુષને શી જરૂર હતી ? આત્મઅનુભવ વિષે કે ધર્મના મૂળ મુદ્દા વિસ્તારથી સમજાવવાની શરૂઆત કેમ ન કરી ? તેનું સમાધાન શ્રીમના સંવત ૧૯૫૦ ચૈત્ર વદ ૧૪ના પત્રમાં નીચેના લખાણમાં પ્રાપ્ત થાય છે –
જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હાય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં ત। ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે.
દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગેાપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનેા માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે.''
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International