________________
સ્ત્રીનીતિ બેધક
પરમારથ કરવા સદા, ધારે ઉર ઉમંગ; ઈશ્વર પ્રીતિ મેળવે, કરે સદા સત્સંગ. વિશ્વ વાંચન-વ્યસન વધારજે, રાખી લીલું * જ્ઞાન વાંચ્યાથી કહું છું થશે, ડહી વિદ્વાન, વિશ્વ લક્ષણ સારાં રાખીને, કરે રૂડેરાં કામ; સજજનમાં વખણાએ તે, તો જ સજજની નામ. વિશ્વ”
હાલ આ પુસ્તકની છાપેલી પ્રત મળી શક્તી નથી અને પચાસ વર્ષ પહેલાંના આ સમાજને અતિ ઉપયોગી પુસ્તકને કંઈક પરિચય વાંચનારને કરાવવાના હેતુથી વિસ્તૃત અવતરણ ટાંકવામાં સંકોચ રહેવા છતાં જરૂર જણાયાથી તેમ કર્યું છે. આ “સ્ત્રીનીતિ–બાધકની ફરી આવૃત્તિ જે બહાર પડે તે મોટી ઉમ્મરે ભણવાનું શરૂ કરનાર સ્ત્રીઓને અત્યંત ઉપયોગી નીવડે એમ લાગે છે.
હાલ કન્યાશાળાઓમાં ચાલતી પં. નવલરામ લક્ષ્મીરામની બાળગરબાવળી કરતાં ભાષા સરળ અને સ્ત્રી-સ્વભાવને અનુકૂળ તથા નીતિના ધેરણથી લખાયેલ “સ્ત્રીનીતિબોધક પુસ્તક માતા-પિતાએ પિતાની પુત્રીને, ભાઈએ પિતાની બહેનને અને પતિએ પિતાની ધર્મપત્નીને તથા સગાંવહાલાએ મંગળ પ્રસંગમાં કન્યાઓને અને વાંચતાં શીખવાની ભાવનાવાળી કે થોડુંક ભણેલી યુવાન સ્ત્રીઓને ભેટ આપવા લાયક છે.
* પ્રમાદ અને અહંકારથી જ્ઞાન સુકાઈ જાય છે-શુષ્કજ્ઞાન ગણાય છે; વિનય અને ભક્તિના રસસિંચનથી જ્ઞાનનાં મૂળ હૃદયમાં ઊંડા ઊતરે છે અને જ્ઞાન લીલું રહે છે.– લેખક
૧ “સુબોધ સંગ્રહ નામને ગ્રન્થ આ આશ્રમ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. તેમાં આ “સ્ત્રીનીતિબોધક ગરબાવળી છાપવામાં આવી છે.—પ્રકાશક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org