________________
ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર
આપ્યું હતું. તે લઈને તથા બધાની રજા લઈને ચાલ્યાં. ભાઈ ધારસભાઈને પણ મળીને તેમની રજા લઈને ચાલ્યાં. પિતાની પાસે ભાડાના પૈસા નહોતા. તેથી એક કંદોઈને ત્યાં એ ભાથું વેચીને ભાડા જેટલા પૈસા મેળવ્યા; પણ ધારસીભાઈ સાથે આટલું બધું ઓળખાણ થયું હતું છતાં કંઈ પણ માગણી ન કરી કે ઉછીના પૈસા પણ ન લીધા. “પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય” એવી કહેવત છે તે પ્રમાણે તેમનામાં આટલી નિઃસ્પૃહતા આટલી નાની ઉમ્મરે પણ ઊગી નીકળી હતી. સમજુ ગૃહસ્થની પેઠે તેમને સિદ્ધાંત હતું કે –
“મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ; પરમારથકે કારણે માણું, ન સમજું લાજ.”
કચ્છી ભાઈઓની સગવડ યથાયોગ્ય થાય તે માટે ધારસીભાઈને વિનંતી કરી તેમની આગતાસ્વાગતા સાચવી, પણ પિતાને થડા ભાડાના પૈસા જોઈતા હતા તે પણ તે ખાતર હાથ લાંબે કરી દીનતા કરી નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org