SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ બેલ્યાઃ છુપાવવા જેવી કોઈ પણ વાત નથી. પણ અમારી જે ધારણા હતી તે પાર ન પડી.” ધારસીભાઈએ પૂછ્યું : “કેમ પાર ન પડી?” તેના ઉત્તરમાં તેમણે ઉપર બનેલે પ્રસંગ કહી બતાવ્યું, તથા વિશેષમાં જણાવ્યું : અમે જણાવ્યું નહોતું તે પણ પિતાની મેળે સામા આવ્યા, અમને અમારા નામથી બોલાવ્યા, અહીં બધી તૈયારી કરાવી, આ કોઈ આશ્ચર્યકારી મહાપુરુષ છે.” તે સાંભળી ધારસીભાઈને પણ પ્રથમ તે આનંદ સહિત આશ્ચર્ય લાગ્યું કે અહો! રાયચંદભાઈ ભૂલ કરે છે કે આટલી બધી સગવડ કરી આપે છે છતાં હા કેમ કહેતા નથી? તેમણે જવું જોઈએ. પણ પછીથી એમને પણ સમજાયું કે જે વ્યક્તિ આટલી નાની ઉંમરમાં આવી અજબ શક્તિ ધરાવે છે, તેને ભણવું પણ શું હોય ? વળી એમની ગંભીરતા પણ કેટલી છે કે સાગરની પેઠે સર્વ સમાવી શકે છે, લગાર માત્ર પણ છલકાતા નથી; એમ એમના જ્ઞાનાદિ ગુણની મહત્તા તેમને ભાસી; તેથી પ્રથમ પિતાની જોડે તેમને ગાદી ઉપર બેસારતા તેને બદલે જ્યારથી આ મહાપુરુષ છે એમ લાગ્યું એટલે પિતાના આસને—ગાદીતકિયે શ્રીમને બેસારતા અને પિતે તેમની સામે વિનયભાવથી બેસતા; પૂજ્યભાવ ધારણ કરી વિનય સાચવતા. અને જેમ જેમ શ્રીમ સમાગમ પાછળની જિંદગીમાં વધતે ગમે તેમ તેમ વિશેષ માહાભ્ય તેમને લાગ્યું હતું તથા તેમને સદ્ગુરુ તરીકે માની તેમનું શરણ સ્વીકાર્યું હતું. શ્રીમદ્ને પાછું વવાણિયા જવાનો વિચાર થયે ત્યારે તેમને માટે સાળમાંથી મીઠાઈને એક ડબો ભાથા માટે ભરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy