________________
૨૭.
ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર છે તે એકાંત સ્થળ અમને મળશે? ત્યારે તેમણે તેવું સ્થાન બતાવ્યું. ત્યાં એકાંત સ્થાનમાં શ્રીમદુની સાથે તેઓ બેઠા.
પ્રથમ અવધાન સંબંધી તેમણે સાંભળેલું, તે જેવા તેમણે વિનંતી કરી, તે શ્રીમદે સ્વીકારી એટલે તેમણે “સંઘપટ્ટક નામના ગ્રંથમાંથી ગાથા તે લેતા આવ્યા હતા, તેના અક્ષરે આડાઅવળી રીતે શ્રીમદ્દને સંભળાવ્યા, તે યાદ રાખી તેમણે આ શ્લેક બેલી બતાવ્યું, તેથી બને ચકિત થઈ ગયા.
એ બને કચ્છી ભાઈઓના મનમાં એમ થયું કે આમને આપણે કાશીએ શું લઈ જવા ? છતાં જે માટે આવ્યા છીએ તે માટે પ્રયત્ન તે કરે; પછી જેમ થવાનું હશે, તેમ થશે. આપણે તે સ્પષ્ટ હેતુ કહી બતાવ. પછી તેમણે કહ્યું : “આપને ભણાવવા માટે કાશી લઈ જવા માટેની વિનંતી કરવા અમે આવ્યા છીએ. માટે આપ કાશી ચાલે. આપના કુટુંબને માટે તેમ જ આપને માટે ખાવાપીવા વગેરે સર્વ સગવડ પગાર વગેરે અમે કરીશું પણ આપ અમારી સાથે ચાલે તે મોટો ઉપકાર થાય.” આમ અનેક લાલચ વગેરે આપવા માટે કહ્યું છતાં તેમણે ના પાડી અને જણાવ્યું કે અમારાથી આવવાનું નહીં બને, એટલે તેઓ મનમાં સમજી ગયા કે પ્રથમથી જ અનુમાન કરેલું કે આપણું ધારણા પાર પડે તેમ નથી અને તેમ જ બન્યું. એ તે ભણેલા જ છે, કાશી જઈ તેમને કંઈ વિશેષ શીખવું પડે તેમ નથી.
પછી ધારસીભાઈ પાસે તેઓ ગયા ત્યારે ધારસીભાઈએ તે બનેને એકાંતમાં જણાવ્યું કે રાયચંદભાઈ સાથે થયેલી વાત મને કહેવા લાયક હોય તે કહે. ત્યારે હેમરાજભાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org