________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
ધારસીભાઈને પૂછ્યું : “બે જણ કચ્છથી આવનાર છે, તેમને ઉતારે તમારે ત્યાં રાખશે?”
ધારસીભાઈએ કહ્યું : “હા, ખુશીથી મારે ત્યાં તેમને ઉતારો રાખજે, હું તેમને માટે સર્વ બંદોબસ્ત કરીશ.”
પછી નિશ્ચિત થઈ શ્રીમદ્ તે કચ્છી ભાઈઓને આવવાના માર્ગ તરફ સામા ગયા. દૂરથી હેમરાજભાઈએ અટકળ કરી કે સામે આવે છે તે રાયચંદ નામને કરે તે નહીં હોય?
નજીક આવ્યા એટલે શ્રીમદે તેમને નામ દઈને બેલાવ્યાઃ “કેમ હેમરાજભાઈ? કેમ માલસીભાઈ ?”
તે બનેને વિચાર થયે કે આપણું નામ એ ક્યાંથી જાણે છે? કેઈને આપણે ખબર તે આપી નથી?
બન્નેએ આશ્ચર્ય પામીને કહ્યું: “તમે જ રાયચંદભાઈ છે કે? તમે કેમ જાણ્યું કે અમે અત્યારે જ આ જ માર્ગે આવીએ છીએ??”
તેના ઉત્તરમાં શ્રીમદે જણાવ્યું : “આત્માની અનંત શક્તિઓ છે, તે વડે અમે જાણીએ છીએ.”
પછી ધારસીભાઈને ઉતારે ગયા, ત્યાં ધારસીભાઈએ નાહવા, ધોવા વગેરેની બધી તજવીજ કરી. કચ્છી ભાઈઓ મનમાં સમજી ગયા હતા કે આમને આપણે કાશીએ ભણવા લઈ જવા આવ્યા છીએ પણ આટલી શક્તિવાળાને શું ભણવાનું બાકી હશે?
જમી રહ્યા પછી ધારસીભાઈને તે કચ્છી ભાઈઓએ વિનંતી કરી, કે અમારે રાયચંદભાઈ સાથે ખાનગી વાત કરવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org