________________
ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર
શ્રીમદે કહ્યું: “તેમ છે તે તમારે સાવચેતીમાં રહેવું, કેમકે તમારે માટે તેઓ ઉપાય શોધતા હતા. લાગ ફાવે તે ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા. માટે તે વિષે પ્રમાદી ન થવું.”
ધારસીભાઈએ પૂછ્યું : “પણ તમે એ કેમ જાણ્યું કે મારે માટે તેઓ આમ કરવા ધારે છે ?”
શ્રીમદે ઉત્તર દીધે: “હું જમતે હતું ત્યારે બહાર હું સાંભળું તેટલા મોટા સાદે તે વાત કરતા હતા અને હું કેની સાથે આવ્યું તે તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમારું નામ આપ્યું હતું. તે ઉપરથી તેમણે તે પ્રસંગે વાત ઉપાડી હતી.”
ધારસીભાઈએ પૂછ્યું : “પણ તમારા દેખતાં તેવી વાતે તે કેમ કરે ?”
શ્રીમદે કહ્યું : “આ નાને બાળ છે, આને એ બાબતની શી સમજણ પડવાની છે? એમ જાણી તે વાત કરતા હતા. એટલે તમને કહેવા–ચેતાવવા માટે આવ્યો છું.”
ધારસીભાઈના મનમાં થયું કે અહો ! આ બાળકમાં કેટલી ઉપકારબુદ્ધિ છે? મોટા માણસને પણ ન સૂઝે તે મહા ઉપકાર આ બાળક કરે છે ! સારું થયું કે હું એમને તેડી લાવ્યું. ધન્ય છે આ બાળમહાત્માને ! ધન્ય મારાં ભાગ્ય કે એમને મને સંગ થયે! એમ વિચારી તે ઘણે આનંદ પામ્યા.
શ્રીમમાં અદૂભુત શક્તિઓ હતી; જ્ઞાન નિર્મળ હતું તેથી તેમને જ્ઞાનમાં જણાયું કે બે કચ્છી ભાઈઓ સાંઢણી ઉપર સવાર થઈ લાંબી મુસાફરી કરતા આવે છે, એટલે તેમણે
-
!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org