________________
શ્રી મદુનાં સ્મારકે
૩૫ કરેલા બોધનું રહસ્ય શ્રી લઘુરાજ સ્વામીના સત્સંગે સાંભળી ઘણું ભવ્ય જીવ તત્ત્વજ્ઞાન-પ્રાપ્તિના પુરુષાર્થમાં પ્રવર્તે છે. કઈ માસ બે માસ કે કોઈ કાયમ રહેનારા એવા અનેક ભક્તાત્માઓ ઉપરાંત આજુબાજુનાં ગામમાંથી અનેક જિજ્ઞાસુ જીવે ત્યાં આવે છે અને સત્સંગ, સશાસ્ત્રના પરિચયથી જીવનસાફલ્યનું નિમિત્ત પામતા રહે છે. આ આશ્રમમાં મધ્યસ્થ વાતાવરણ હેવાથી શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, વૈષ્ણવાદિ અનેક કુળ સંપ્રદાયના પરંતુ આત્માને ઓળખવાની ભાવનાવાળા જિજ્ઞાસુ જી આવે છે અને રહે છે. શ્વેતાંબર તથા દિગબર દેરાસરો પણ આશ્રમના ચોગાનમાં છે. સુંદર પુસ્તકાલય અને ઉત્તમ સત્સંગને વેગ છે. શ્રીમદ્ રાજચંદ્રની આરસપાયું તથા ધાતુની ભવ્ય પ્રતિમાઓ તથા શ્રી કની સ્થાપના પણ છે. ધાર્મિક જીવનને પરિચય કરાવે તેવું આ ઉત્તમ તીર્થ બન્યું છે. ટૂંકામાં તપવનને નમૂને છે.
- સ્વ. પૂંજાભાઈ હીરાચંદની ઉદાર સખાવતથી અમદાવાદમાં મહાત્મા ગાંધીજી દ્વારા “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર' પુરાતત્વ મંદિરમાં સ્થાપવામાં આવ્યો હતો. હાલમાં પુરાતત્ત્વ મંદિર બંધ છે. પણ “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર” ગુજરાત વિદ્યાપીઠ નિભાવે છે.
નાર, કાવિઠા અમદાવાદ, ઉત્તરસંડા, વઢવાણ, ભાદરણ, સીમરડા, ખંભાત, બોરસદ, કલોલ, ધામણ (નવસારી પાસે, સુણાવ, વસે, સડોદરા, નરોડા, ઈડર, વવાણિયા, આહાર, બંગલેર, વડાલી, રાજકેટ આદિ સ્થળેએ “શ્રીમદ્ રાજચંદ્ર મંદિર' રૂપે સત્સંગનાં ધામ છે, પણ તે તે સ્થળે રહેનાર ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org