________________
કરી છે. શાળામાં
કુમાર-કાળ
એક વખત શિક્ષકે શ્રીમદુને ઠપકો આપે એટલે બીજે દિવસે પિતે શાળામાં ન ગયા. બીજા છોકરાઓએ જાણ્યું કે રાયચંદભાઈ શાળાએ ગયા નથી એટલે તમામ છોકરાઓ તેમની પાસે ગયા. તે બધા છોકરાઓને લઈને ખેતરમાં દૂર ગયા; પિતાની પાસે બોર હતાં તે બધા વિદ્યાર્થીઓને વહેંચ્યાં. આમ બધા ખેતરમાં હતા તેથી શાળામાં શિક્ષક ગયા ત્યારે કોઈ વિદ્યાર્થી જ નહીં, તેનું કારણ વિચારતાં શિક્ષકને લાગ્યું કે રાયચંદભાઈને ગઈ કાલે ઠપકે દીધું હતું તેથી બધા તેમની પાસે હશે. તપાસ કરતાં ખેતરમાં બધા છે એમ જાણ શિક્ષક ખેતરમાં ગયા અને રાયચંદભાઈને નમી પડ્યા અને ફરી હવે કોઈ દિવસ કંઈ કહીશ નહીં એમ કહીને બધાને સમજાવી શાળામાં તેડી ગયા.
આઠ વર્ષની ઉમ્મરથી કવિતા રચવાની તેમણે શરૂઆત કરી હતી. પહેલે વર્ષે પ૦૦૦ કડીઓ તેમણે રચેલી કહેવાય છે. નવ વર્ષની વયે તેમણે પદ્યમાં રામાયણ અને મહાભારત નાનાં નાનાં લખ્યાં હતાં, અને દસ વર્ષની વયે તે એમના વિચારે પુખ્ત ઉમ્મરના અનુભવીને છાજે તેવા હતા. નવું નવું શીખવાની, નવું નવું સાંભળવાની, નવું નવું મનન કરવાની અને નવું નવું સુંદર ભાષણ કરવાની એમની ઉત્કટ ઈચ્છા એ દસ વર્ષની વયમાં હદ પાર હતી. કવિત્વશક્તિ, સ્મરણશક્તિ, વક્તાપણું અને સદ્ગુણને લઈને નાની વયમાં અજબ શક્તિશાળી ગણુતા હતા. અગિયાર વર્ષની વયથી એમણે ચોપાનિયામાં લેખ લખવા માંડ્યા હતા. અને ઈનામી નિબંધોમાં ગ્ય ઈનામે પણ સંપાદન કર્યાં હતાં. સ્ત્રીકેળવણીની ઉપગિતા વિષે એક નિબંધ પણ લખ્યું હતું.
આ કવિતા
મણે રચેલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org