________________
કુમાર-કાળ અદ્ભુત શક્તિઓનો આવિર્ભાવ
જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થવા ગ્ય આત્માની નિર્મળતા અથવા સ્મરણશક્તિની પ્રબળતા પૂર્વે આરાધેલા વેગનું ફળ અને અનુસંધાન સાબિત કરે છે. બાળવયથી વિનય, વાકચાતુર્ય, તર્કશક્તિ અને વૈરાગ્યને લઈને ગામમાં તેમજ આખી શાળાના વિદ્યાર્થીઓમાં તે પ્રિય થઈ પડ્યા હતા. એક જ વખત વાંચવાથી કે સાંભળવાથી તેમને અક્ષરેઅક્ષર યાદ રહેતું એવી તીવ્ર સ્મરણશક્તિ હતી, તેના પરિણામે તેમને ગેખવું શું તેની ખબર જ નહોતી; સાડાસાત વર્ષની વયે શાળામાં પ્રવેશ કર્યો. એક માસ પણ થયે નહીં હોય તેટલામાં હસતાં-રમતાં આંક પૂરા કર્યા. બે વર્ષ જેટલી મુદતમાં સાત ચોપડીઓને અભ્યાસ પૂરો કર્યો. જે વડા વિદ્યાથીએ એમને પહેલી ચોપડીની શરૂઆત કરાવેલી, તેને પિતે સાતે ચોપડીઓ પૂરી કરીને પહેલી પડી પૂરી કરાવી હતી. આટલી ટૂંકી મુદતમાં અભ્યાસ પૂરે થયે તે અજબ
સ્મરણશક્તિને પ્રભાવ છે. વિદ્યાર્થીઓને શિક્ષકે તરફ સામાન્ય રીતે પ્રેમ એ છે હેય છે, ભય, અણગમે અને અકળામણ ઉત્પન્ન કરાવનાર શિક્ષક ગણાય છે. પરંતુ શ્રીમદ્ બધા– સાઠેય વિદ્યાર્થીઓનું લેસન લેતા અને શિક્ષક તે બેસી જ રહેતા; તેમ છતાં બધા વિદ્યાર્થીઓને તેમના ઉપર અત્યંત પ્રેમ રહેતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org