________________
૩૦૧
શ્રીમદની સલ્શિક્ષા
પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.
અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તે રાજપુત્ર છે તે પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે.
ધર્માચાર્ય છે તે તારા અનાચાર ભણી કટાક્ષદ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે.
દુરાચારી હો તે તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે.
દુઃખી હો તે (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે.
આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. -
તું ગમે તે ધંધાથ હો, પરંતુ આજીવિકાથે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં.
જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતે હે તે અટકજે.
ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે.
જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તે સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષમી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org