________________
૩૦૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હે, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એ જ જેને કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પરુષને છે.” (૪૩૦)
ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે છતાં સિદ્ધિ થઈ નહીં.
જે તું ત્યાગી હોય તે ત્વચા સદ્દવિચાર વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર
ભણી દ્રષ્ટિ કરજે. તું ગમે તે ધર્મ માનતા હોય તેને મને પક્ષપાતા નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.
શ્રીમંત છે તે પૈસાના ઉપયોગને વિચારજે, રળવાનું કારણ આજે શોધીને કહેજે.
જે તું સમજણે બાળક હોય તે વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર.
જે યુવાન હોય તે ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર.
જે વૃદ્ધ હોય તે મત ભણી દૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર.
જે તે અમલમસ્ત હોય તે નેપલિયન બોનાપાર્ટને બને સ્થિતિથી સ્મરણ કર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org