________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેઢી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષાને એ છ પદ સપ્રમાણ એવાં પરમપુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે, તે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વે સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે....
૨૯૪
કરુણા
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ, તે જેનાં વચનને અંગીકાર કર્યું સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને સત્પુરુષની નિષ્કારણુ પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેના પ્રત્યુપકાર ન થઇ શકે એવા પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા ભક્તિના કર્તા છે, માટે મારા છે, એમ કદી જોયું નથી,એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હા! !
જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદે મટે અને સહેજે આત્મબોધ થાય એમ નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે ત્રિકાળ નમસ્કાર હા !”' (૪૯૩)
For Personal & Private Use Only
સદ્ગુરુની ભક્તિથી સહેજે
આત્મખાધ થાય
જાણીને જે ભક્તિનું સત્પુરુષાને ફરી ફરી
Jain Education International
www.jainelibrary.org