________________
શ્રીમદની સલ્શિક્ષા
૨૯૫ “જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે
વિચારને વૈરાગ્ય (ભેગ પ્રત્યે અનાસક્તિ) વિચારદશા પામવાનું તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, ઉત્કૃષ્ટ કારણ તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર
છે, એમ જાણે તેને નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે.
સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી અને સત્પરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હેવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ’ પરિણામ પામ્યથી, થાય છે....ખરેખર મુમુક્ષુ હોય તેને સપુરુષની “આશ્રયભક્તિ” અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.” (૭૦૬)
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કેઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ–અલાભ, હર્ષ-શેક, જન્મ-મૃત્યુ આદિ દ્ધને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે
જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠો છે, મહત્પરોની દશા માન પ્રત્યે તરવારને જે સંબંધ છે તે અને નિર્ભયતા દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે,
અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરૂષને જીવન અને મરણ બને સમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org