________________
૨૯૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરને, કુળધર્મને, લેકસંજ્ઞારૂપ ધર્મને, ઓઘસંજ્ઞારૂપ ધર્મને ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજ છે.
એક મેટી નિશ્ચયની વાર્તા તે મુમુક્ષુ જીવે એ જ કરવી ગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાન
કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર કલ્યાણનું કારણ સમય સમય નિવાસ ઈચ્છ, અસત્સંગનું
( ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.
યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિગે વિષમતા આવતી નથી. કંટાળે અત્યંત આવી જતાં છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે, તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્યા કરે છે. સત્સંગનું અત્યંત માહામ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના સ્કુરિત રહ્યા કરે છે.” (૩૭૫)
વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષયપશમનું નિર્મળપણું થાય છે અને સહેજ સહેજમાં
સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે અસંગદશાને હેતુ જીવમાં અસંગદશા આવે તે આત્મસ્વરૂપ
સમજવું સાવ સુલભ થાય છે; અને તે અસંગદશાને હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે; જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણાં શાસ્ત્રોમાં કહેલ છે– વિસ્તારેલ છે, માટે નિ સંશયપણે ગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સદૂગ્રંથે વિચારવા યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org