________________
શ્રીમદની સક્ષિક્ષા
૨૦૯
સર્વથા ત્યાગવા. પેાતાના સર્વ અભિપ્રાયના ત્યાગ કરી પેાતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કઈ તે આના ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.”
(દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) (૪૯૧) “જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે, ઉપશમસ્વરૂપ એવા પુરુષાએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયેાજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તે નિઃસંદેહ યથાર્થ લાગે છે.
દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુ:ખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઇ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઇ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાનીપુરુષાને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રત્યેાજનરૂપ છે. તેના સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઇ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતા હાય, સર્વથા દુ:ખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હાય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કાઈ ઉપાય
આત્મવિચાર
કર્તવ્યરૂપ ધર્મ
૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org