SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદની શિક્ષા ૨૮૫ બાહ્ય શાતાનાં કારણે પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લેકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; જેથી જીવની જેગ્યતા રેકાઈ જાય છે. સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપિ એ બને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કંઈ જેગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયે હેય તે ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે “સની માન્યતા હોય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતે નથી, અને એ જ પરમ જેગ્યતાની હાનિ છે. આ ત્રણે કારણે ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કઈ વિષે જોઈ છે, અને જે તેઓમાં સર્વ પ્રકારે (પરમ દૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તે જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રમાણિ એ છે. અધિક શું કહીએ? અનંતકાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી, અને મહાત્માને જોગે તેના અલૌકિક સ્વરૂપને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy