SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ શ્રીમદની સલ્શિક્ષા તે વૈરાગ્ય છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિતે ઉત્પન્ન થત એ જે કષાય(ક્રોધ, માન, માયા, લેભોલેશ તેનું મંદ થવું તે “ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી બુદ્ધિ કરે છે, અને તે બુદ્ધિ જીવાજવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યુગ્ય થાય છે. કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે..... સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યું છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબંધતી જોવામાં આવે છે.... ફરી ફરીને જ્ઞાની પુરુષનાં વચન એ ઉપદેશને જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે, તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂઢ થયેલે એ જીવ પ્રતિબૂઝત (સમજતી નથી; અને તે ભાવની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કે જેને સંભવ ક્યારે પણ થઈ શકયો નથી, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યમાં થશે નહીં.” (૫૬) દુઃખનું ક્યા ઈછત બેવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ; મૂળ જબ ઈચ્છાકા નાશ લબ, મિટે અનાદિ ભૂલ. હાથોંધ ૧-૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy