________________
૨૮૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
છે, માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવ ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું ગ્ય છે.” (૩૯૭)
સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાની પુરુષનાં
| દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થંકર માનુસારી પુરુષને કહે છે. જેની કેડને ભંગ થયે છે, જ્ઞાની પુરુષને બોધ તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણને
| ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીને પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થંકર કહે છે.
જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જેઈ જે રાગ ઉત્પન્ન થતું હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો.
જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં.
ખરેખર પૃથ્વીને વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં.
જ્ઞાની પુરુષ સિવાય તેને આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઈચછે નહીં. એ આદિ વચને તે પૂર્વે જ્ઞાની પુરુષે માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ છે આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનેને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા.” (૪૫૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org