SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વ ઘણું શાસ્ત્રોને વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્યરૂષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાયે જાય એવું નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગધને નમસ્કાર કરીએ છીએ. - ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવને વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે ગાદિક અનેક સાધનને બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેને ઉદ્દેશ છે, તે તીર્થકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.” તેમ સં. ૧૯૪ત્ના શ્રાવણ વદ પ ના પત્રમાં લખ્યું છે કેઃ પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણું અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્ણતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એક્તાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે, અને બીજી બાજથી આવાં ક્ષેત્ર, આવા લેકપ્રવાહ, આવા ઉપાધિ જોગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂર્છાવત્ થાય છે. ઈશ્વરેચ્છા !” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy