________________
અંતિમ ચર્ચા
૨૭૩
રાશા રખાઈ. પરંતુ વ્યાધિએ ફરી દેખાવ દીધેા; અને કાબેલિયતત્રાળી સારવાર તથા તેઓના પ્રશંસકેાની માવજત છતાં એક વર્ષ કરતાં વધારે બિછાનાવશ રહીને કાઠિયાવાડના રાજકોટ શહેરમાં ગયા માસની નવમી તારીખે (ઈ. સ. ૧૯૦૧, એપ્રિલ માસમાં) તેએએ શાંતિથી દેહવિલય કર્યાં.
તેની લાંબી માંદગી દરમ્યાન તેઓએ કદી પણ નિઃશ્વાસ અથવા આર્દ્રતા દાખવી નહોતી. જ્યારે તેઓના બિછાનાની આસપાસના બીજા બધાએ ખેદયુક્ત થતાં ત્યારે પણ તેએ આનંદ સમેત રહેતા.
....
શ્રીમદ્ રાજચંદ્ર દરેક રીતે લાક્ષણિક ચિહ્નથી અંકિત પુરુષ હતા; એ દર્શાવવાને તેએના જીવનની ઉપર દર્શાવેલી રૂપરેખા પૂરતી છે. તેએની માનસિક શક્તિએ અદ્ભુત રીતે ચમત્કૃતિવાળી હતી, તેમ જ તેએના ચારિત્રની નૈતિક ઉન્નતિ ચકિત કરાવનાર હતી. સત્ય પ્રત્યે તેઓને આદર, વ્યાપારમાં અત્યંત ચીવટથી નૈતિક તત્ત્વોને વળગી રહેવાનું વર્તન, ગમે તેટલી વિરુદ્ધતા છતાં જે ખરું તે માનતા તે કરવાની તેઓની નિશ્ચયવૃત્તિ અને તેઓના કર્તવ્ય સંબંધી ઉચ્ચ આદર્શ જેએ તેઓના સહવાસમાં આવતા તેનામાં પ્રેરણા કરી તેઓને ઉન્નતિની શ્રેણી પર ચઢાવતા. તેઓની બાહ્યાકૃતિ ડમાકવાળી ન હતી, પરંતુ આંતરિક શાંતિ અને ગાંભીર્ય તે તેનાં જ હતાં. તેએનું ધર્મો તથા તત્ત્વજ્ઞાન સંબંધી વિશાળ અને યથાસ્થિત જ્ઞાન, તેની સમજાવવાની અદ્ભુત શક્તિ અને ઉપદેશ કરવાની તેઓની દિવ્ય પદ્ધતિ હાવાથી તેમના ઉપદેશે। પૂર્ણ લક્ષપૂર્વક સાંભળવામાં આવતા હતા. ઉશ્કેર
૧૮
Jain Education International
....
For Personal & Private Use Only
www.jainelibrary.org