SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રીમદ્ રાજચદ્ર જીવનકળા એ આદિ ઉત્તમોત્તમ ગુણાનું હું શું સ્મરણ કરું ? વિદ્વાન કવિએ અને રાજેન્દ્ર દેવેશ આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે તે આ કલમમાં અલ્પ પણુ સમર્થતા કયાંથી આવે ? આપના પરમાત્કૃષ્ટ ગુણાનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણયાગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું યેાગબળ, આપે પ્રકાશિત કરેલાં વચના અને આપેલું ખીજ મારું રક્ષણ કરા, એ જ સદૈવ ઇચ્છું છું. આપે સદૈવને માટે વિયેગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્તૃત નહીં કરું. ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિ-દિવસ રડી રડીને કાઢું છું; કાંઈ સૂઝ પડતી નથી.” શ્રીમના દેહોત્સર્ગ પછી ‘પાયેાનિયર' પત્રમાં પ્રગટ થયેલી જીવનરેખામાંથી થોડું નીચે આપ્યું છે : વ્યાપાર કર્યાને દશ વર્ષે થયા પછી તેઓને (શ્રીમન્ને) લાગ્યું કે જે હેતુથી વ્યાપારધંધામાં પ્રયાણ કર્યું હતું તે હેતુ પોતે પૂર્ણ કર્યા હતા; તેથી વ્યાપારની સાથેના પોતાના સંબંધ નિવર્તવાની ઇચ્છા તેઓએ જણાવી. જ્ઞાન, ધનસંપત્તિ, સાંસારિક પઢવી, કૌટુંબિક સુખ (કારણ કે તેઓને હયાત માતા, પિતા, એક પરિણીત ખંધુ, ચાર પરિણીત બહેને, સ્ત્રી, બે પુત્રા અને બે પુત્રીએ હતાં) પ્રાપ્ત કરી, સંસારને ત્યાગ કરી સાધુ મુનિનું જીવન ગાળવાની તેઓએ તૈયારી કરી. એટલામાં ત્રીશમા વર્ષની વયે તેઓની શારીરિક પ્રકૃતિ નબળી પડી. અનેક કુશળ ડૌક્ટરીની સારવાર નીચે રાખવામાં આવ્યા, અને એક વખત તે તેઓની પ્રકૃતિ સુધરી જવાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy