________________
અંતિમ ચર્યા
૨૭૧ હે ભારતભૂમિ ! શું આવા, દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુને ભાર તારાથી વહન ન થય? તેમ જ હોય તે આ પામરને જ ભાર તારે હળવો કરવે હતું કે નાહક તેં તારી પૃથ્વી ઉપર બેજારૂપ કરી રાખ્યા.
હે મહાવિકરાળ કાળ! તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખે મનુષ્યને તે ભેગ લીધે, તે પણ તું તૃપ્ત થયે નહીં, અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ, તે આ દેહને જ પ્રથમ ભક્ષ તારે કરે હતું કે આવા પરમ શાંત પ્રભુને તે જન્માન્તરને વિયેગ કરાવ્યું ! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખ થઈ મારા સામું જુએ છે !
હે શાસનદેવી ! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું ? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિકરણગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં, તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેને વિચાર જ ન કર્યો?
હે પ્રભુ ! તમારા વિના અમે તેની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજે દયાળુ થાય જ કેણુ? હે પ્રભુ ! તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કેમળ વાણી, ચિત્તહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વપણું, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિવાથી બેધ, સત્સંગની અપૂર્વતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org