SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શ્રીમદૂના દેહાંતના સમાચાર મળ્યા કે તુરત પાછા જંગલમાં તે ચાલી નીકળ્યા અને આહારપાળું કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયેગની વેળા વિતાવી. તેમને ઘણે જ આઘાત લાગ્યું હતું. તે દિવસે મુનિશ્રીએ પાણી પણ વાપર્યું નહીં. રાત્રે બીજા મુનિઓએ પણ તેમની સારવાર ઘણી કરી હતી. ધર્મનું મહાન અવલંબન અને પોષણ આપનાર કલ્પવૃક્ષ સમાન શ્રીમદ્ સદ્દગુરુને વિયેગ દરેક ધર્માત્માને અસહ્ય થઈ પડે છે. “સદૂગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂ૫; સમજ્યા વણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ.” એમ આત્મસિદ્ધિમાં કહ્યું છે, તેમ જેને આત્મદાનને લાભ મળે છે તેને તે ઉપકાર સમજાયાથી સગુરુને વિયેગ અસહ્ય થઈ પડે છે. શ્રી અંબાલાલભાઈએ પિતાનું હૃદય નીચેના પત્રમાં પ્રગટ કર્યું છે : “વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિઃશંકતાથી, શાંતપણે, કમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં એવાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણે એક પણ શાંતિ ન હોય ! અહાહા! તે વખતના દુઃખનું મોટા કવીશ્વરે પણ વર્ણન કરવાને અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અઘેર અટવીને વિષે આ પામર જીવેને આપી હે પ્રભુ! તમે ક્યાં ગયા? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy