________________
૨૬૯
અંતિમ ચર્યા
શ્રીમના દેહત્યાગ અવસરે ભાઈ નવલચંદભાઈ પણ હાજર હતા. શ્રી અંબાલાલભાઈ પરના પત્રમાં તેઓ જણાવે છે કે, “નિર્વાણ-સમયની મૂર્તિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત, મનહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણને ગુણાનુરાગીને તે લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતાં તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતે
નથી.”
સંવત ૧૫૭ના ચૈત્ર વદ ૫ ને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા આ ક્ષેત્ર અને નાશવંત દેહને ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. જે જે પુરુષોને જેટલા પ્રમાણમાં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમને વિયેગ તેમને લાગ્યું હતું.
શ્રીમદ્દનાં ધર્મપત્ની પિતાને કાળ એકાંતમાં તેમણે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં. બહુ જ થોડા કાળમાં તેમને પણ દેહ છૂટી ગયું હતું. તેમનાં માતુશ્રીનું હૈયું બહ કોમળ હતું. કેઈ શ્રીમની વાત કાઢે તે તેમની આંખે આંસુથી ભરાઈ જતી.
શ્રીમના દેહાંતના સમાચાર કાવિઠા આવ્યા તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવિઠામાં હતા. આગલે દિવસે તેમને ઉપવાસ હતું અને એકાંત જંગલમાં તેમને રહેવાને અભ્યાસ હતે. તે પારણા વખતે ગામમાં આવ્યા ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર વાત કરતા હતા; તે વિષે તેમણે તપાસ કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org