________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ વગેરે શ્રીમની સેવામાં ઠેઠ સુધી રહેલા. એક અઠવાડિયા પહેલાં ભાઈ ધારશીભાઈ તથા નવલચંદભાઈ શ્રીમદ્રની પાસે આવ્યા ત્યારે વાતચીતના પ્રસંગમાં શ્રીમદે ધારશીભાઈને કહેલું તે શ્રી લલ્લુજી મુનિએ સભા સમક્ષ વ્યાખ્યાનમાં જણાવેલું કે “શ્રી ધારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તે ધંધુકામાં અમારા દર્શન સમાગમ અર્થે આવેલા ત્યારે તેમણે એક દિવસ સ્થાનક(ઉપાશ્રય)ને મેડે પધારવા મને વિનંતિ કરી. ઉપર બન્ને ગયા અને બારણું બંધ કરી શ્રી ધારશીભાઈએ વિનયભક્તિ-પૂર્વક સાષ્ટાંગ દંડવત્ કરી વિનંતિ કરી કે “સંવત ૧૯૫૭ માં શ્રીમદ્જીને દેહ છૂટતાં પહેલાં પાંચછ દિવસ અગાઉ હું રાજકેટ દર્શન કરવા ગયેલું. તે વખતે તેઓશ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સોભાગ્યભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે વખતે મને એક સામાન્ય સમાચાર રૂપે તે શબ્દો લાગેલા. પણ આ ત્રણ વર્ષના વિરહ પછી તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા એમ મને સમજાયું અને તે પ્રભુના વિગ પછી હવે આપ મારે અવલંબનરૂપ છે. તે તેઓશ્રીએ આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવે. હવે મારી આખર ઉમ્મર ગણાય અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજું શું શેચનીય છે? આજે અવશ્ય કૃપા કરે, એટલી મારી વિનંતિ છે.” એમ બોલી આંખમાં આંસુ સહિત અમારા ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ધીરજથી અમે જણાવ્યું : “પ્રભુ, અમને પરમકૃપાળુ દેવે જણાવ્યું છે કે તે વાત તમારે કોઈને કહેવી નહીં, એટલે મારે એ અધિકાર નથી.” શ્રી ધારશીભાઈ સમજી ગયા. પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org