________________
અંતિમ ચર્યા
પરમાર્થવૃત્તિ પ્રધાનપણે તેમણે આખા જીવનમાં રાખેલી છે, તેની સાથે પરોપકાર વૃત્તિ પણ તેટલી જ પ્રબળ હતી. સં. ૧૯૫૭માં તેઓ એક પત્ર દ્વારા જણાવે છે: “લેકકલ્યાણ હિતરૂપ છે. પિતાની યેગ્યતાની ન્યૂનતાથી અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાને છે.”
હવાફેર માટે દરિયાકિનારે મુંબઈમાં માટુંગા, શિવ અને વલસાડ પાસે તિથલ વગેરે સ્થળોએ રહેવું થયું હતું. પછી વઢવાણ કેમ્પમાં લીંબડીના ઉતારામાં થોડો વખત રહેવાનું બન્યું હતું. ત્યાં વઢવાણમાં છેલ્લા પદ્માસન અને કાઉસગ્ગ મુદ્રાનાં બન્ને ચિત્રપટ (ફેટા) ભાઈ સુખલાલની માગણીથી પડાવ્યા હતા. પછીથી રાજકેટ રહેવાનું રાખ્યું હતું. ત્યાં ઘણુ ખરા મુમુક્ષુઓ આવતા, પણ શરીર ઘણું અશક્ત હોવાને કારણે દાક્તરેએ વાતચીત વિશેષ ન થાય તેવી તજવીજ રખાવી હતી. પત્રો લખાવવા પડે તે એકબે લીટીના જ લખાવતા. રાજકોટમાં છેલ્લા પત્રો અત્રે આપ્યા છે :
“સં. ૧૯૫૭, ફાગણ વદ ૧૩, સોમ છે શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત કમ શરૂ થયે. જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વર્તો.”
“સં. ૧૯૫૭, ચૈત્ર સુદ ૨, શુક અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમેનમઃ વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેચવામાં હર્ષ-શેક શે ? » શાંતિ.”
ભાઈ મનસુખભાઈ (તેમના નાના ભાઈ), શ્રી રેવાશંકરભાઈ, ડે. પ્રાણજીવનદાસ, લીમડીવાળા ભાઈ મનસુખભાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org