________________
૨૬૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આપી છે તે હવે તેમના તરફથી પત્ર આવે ત્યારે સમાગમ માટે જવું, ત્યાં સુધી ભક્તિ કર્યા કરવી.
બીજે દિવસે આગાખાનને બંગલે શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને બોલાવી શ્રીમદે છેલ્લી સૂચના આપતાં જણાવ્યું: અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહીં.”
અમદાવાદથી શ્રીમદ્દનું વઢવાણ જવાનું થયું, ત્યાં ખંભાતના ભાઈ લલ્લુભાઈ તથા નગીનભાઈ દર્શને ગયેલા. ત્યાંથી પાછા ખંભાત જતી વખતે સમાગમમાં શ્રીમદે કહ્યું કે “ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજે. અમારામાં ને શ્રી મહાવીરદેવમાં કંઈ પણ ફેર નથી. ફક્ત આ પહેરણને ફેર છે.”
વઢવાણ શ્રીમદ્ રહ્યા તે દરમિયાન “પરમકૃત પ્રભાવક મંડળ”ની જિના શ્રીમદે શરૂ કરી હતી. સં. ૧૫૬ ના ભાદરવામાં એક પત્રમાં તેને ઉલેખ પિતે કર્યો છેઃ “પરમ સત્કૃતના પ્રચારરૂપ એક યેજના ધારી છે તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે. “પ્રજ્ઞાવબોધ' ભાગ “મેક્ષમાળા’ના ૧૦૮ મણકા અત્રે લખાવશું.” એક સારી રકમની ટીપ કરી તેમાંથી મહાન આચાર્યોને અપ્રસિદ્ધ ગ્રંથો પ્રસિદ્ધ કરાવી તત્વવિચારણું માટે જનસમૂહને અનુકૂળતા મળે તેવા હેતુથી તે સંસ્થા સ્થપાઈ હતી.
| લક્ષમીને ત્યાગ કર્યા પછી શ્રીમદ્ બહુ બારીકાઈથી વ્રત પાળતા. રેલગાડીની ટિકિટ સરખી પિતાની પાસે રાખતા નહીં. “પરમકૃત પ્રભાવક મંડળ”ને અંગે નાણુની વાતમાં ભળવું પડે છે તે પણ અતિચારરૂપે લેખતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org