________________
અંતિમ ચર્યા
૨૬૩ ચાલ્યું જતું હોય અને નાક જ્યાંથી ફાટે, ત્યાંથી પાણી ચાલ્યું જાય. અમે મરણનું સ્વરૂપ તપાસી વાળ્યું છે કે આ સ્થિતિને જગતના જ મરણ કહે છે.”
મુનિઓ ભાવસારની વાડીથી વિહાર કરી સરસપુર ઉપાશ્રયમાં ગયા હતા. રાત્રે બાર વાગ્યા પછી શ્રી અંબાલાલભાઈને મુનિઓ પાસે જવાની આજ્ઞા થવાથી ત્યાં એકલા ગયા અને વાત કરી: આજે મારા પર પરમ ગુરુએ અપૂર્વ કૃપા કરી છે. મારે જે પ્રમાદ હતું, તે આજે નષ્ટ કર્યો છે; જાગૃતિ આપી, મૂળ માર્ગ કે જોઈએ તે સંબંધે વ્યવહાર અને પરમાર્થ બન્નેનું સ્વરૂપ આજે કઈ અલૌકિક પ્રકારે સમજાવ્યું. પરમાર્થનું પિષણ થાય તેવા સદ્વ્યવહારનું સ્વરૂપ પણું કહ્યું.” એમ સવાર સુધી વાતે કરી શ્રી અંબાલાલ પાછા શ્રીમદ્ પાસે ગયા હતા.
અમદાવાદમાં શ્રીમદે શ્રી દેવકરણજીને કહ્યું : “સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બન્ને ત્યાખ્યાં છે અને સર્વસંગપરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.”
શ્રી દેવકરણજીએ કહ્યું: “અમારા પૂર્વ પુણ્યને ઉદય થયો કે અમને આપની નિરંતર સેવા સમાગમ મળશે.”
શ્રીમદ્ વઢવાણ કેમ્પ જવાના હતા. તે પહેલાં પિતે મુનિઓને મળવા ગયા હતા. વઢવાણ જવાની વાત દર્શાવી શ્રી લલ્લુજીને ઠપકો આપતાં શ્રીમદ્ બેલ્યા: “તમે જ અમારી પાછળ પડ્યા છે, અમે જ્યાં જઈએ ત્યાં દોડ્યા આવે છે; અમારે કેડે મૂકતા નથી.” તે સાંભળી મુનિએના મનમાં એમ થયું કે આપણે રાગ છેડાવવા આ શિક્ષા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org