________________
અંતિમ ચર્ચા
૨૩૧
જોઇને શ્રીમદ્ ખાલ્યા : “હવે અમે તદ્ન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી. એવી સંયમશ્રેણીમાં રહેવા આત્મા ઇચ્છે છે.”
શ્રી દેવકરણજીએ કહ્યું : “ અનંત દયા જ્ઞાની પુરુષની છે, તે કયાં જશે ?”
શ્રીમદે કહ્યું : “ અંતે એ પણ મૂકવાની છે.”
cr
ફરી શ્રીમદ્ સં. ૧૯૫૭ માં અમદાવાદ આગાખાનને અંગલે પાતાનાં માતુશ્રી તથા પત્ની સહિત પધાર્યા ત્યારે મુનિએ ચામાસું પૂરું કરી અમદાવાદ આવ્યા હતા. ‘જ્ઞાનાર્ણવ’ અને ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' નામે બે મોટા દિગંબરી ગ્રંથા હાથના લખેલા શ્રીમદ્ પાસે હતા. તે શ્રી લલ્લુજી સ્વામી અને શ્રી દેવકરણજીને માતુશ્રી દેવમાતા અને શ્રી ઝબકખાના હાથે વહેારાવ્યા હતા. તે વખતે સાથેના બીજા મુનિએએ વિહારમાં પુસ્તકો ઊંચકવામાં પ્રમાદવૃત્તિ સેવેલી અને વૃત્તિ સંકોચેલી તે દેાષા પોતે જાણી લઈને દૂર કરવાના ઉદ્દેશથી શ્રીમદ્ બેલ્યા : “મુનિએ, આ જીવે સ્ત્રી-પુત્રાદિના ભાર વહ્યા છે, પણ સત્પુરુષાની કે ધર્માત્માની સેવાભક્તિ પ્રમાદ રહિત ઉઠાવી નથી.”
શ્રી લક્ષ્મીચંદજીને શ્રીમદે કહ્યું : “તમારે શ્રી દેવકરણુજી પાસેના ‘જ્ઞાનાર્ણવ’ ગ્રંથ તે વાંચે ત્યાં સુધી વિહારમાં ઊંચકવે, તેમજ ‘શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા' શ્રી લલ્લુજી વાંચે ત્યાં સુધી વિહારમાં મુનિ મોહનલાલજીએ ઊંચકવા.’’
શ્રી દેવકરણજીએ શ્રીમને પૂછ્યું : “આ શરીર આવું એકદમ કેમ કૃશ થઈ ગયું ? ”
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org