________________
૨૬૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા છે. પણ જિનેક્ત ધર્મ સ્થાપ હોય તે હજ તેટલી યોગ્યતા નથી, તે પણ વિશેષ યેગ્યતા છે, એમ લાગે છે.”
વળી એ વિષે પિતાની સ્વવિચારણું પ્રાર્થનારૂપે જણાવે છે –
“હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઈચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તે તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમકે અલપ અપ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળ માર્ગથી લેકે લાખે ગાઉ દૂર છે એટલું જ નહીં, પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય તે પણ ઘણુ કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે.”
શ્રીમના માથા ઉપર સૂર્યના કિરણેને સ્પર્શ થતાં પણ માથું દુઃખી આવતું, તે દુઃખ અસહ્ય થતું ત્યારે અગ્નિમાં પંદરવીસ મરી નાખી તેને ધુમાડે લેવું પડતું.
શ્રીમદ્ ઈડરથી સં. ૧૯૫૬માં અમદાવાદ પાસેના નરેડા ગામમાં મુનિઓ હતા ત્યાં પધાર્યા હતા. અમદાવાદથી પણ મુમુક્ષુવર્ગ ત્યાં આવ્યો હતે. બાર વાગ્યા પછી બધાએ જંગલમાં જવું એ ઠરાવ થયેલે તે પ્રમાણે મુનિએ ગામની ભાગેળે રાહ જોઈને ઊભા હતા. એટલામાં શ્રીમદ્ બધા સમક્ષઓ સાથે ત્યાં આવ્યા. અને “મુનિઓના પગ દાઝતા હશે” એમ બેલી પગરખાં કાઢી મૂકી પોતે તડકામાં ધીમે ધીમે ચાલવા લાગ્યા. એક વડ આવ્યો ત્યાં બધા બેઠા. શ્રીમદ્દના પગનાં તળિયાં લાલચેળ થઈ ગયાં હતાં. પણ બેઠા પછી પગે હાથ પણ ફેરવ્યા નહીં. શ્રી દેવકરણજી સામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org