________________
૨૫૫
ભાષાંતરે અને વિવેચને શ્લેક છે અને બીજા અધ્યાયમાં ૫૮ શ્લેક છે. શ્રી કુંદકુંદાચાર્ય ગુજરાતી ગદ્યમાં લખતા હોય તે જ પ્રકારે આ ગ્રંથ લખાય છે. તેના ઉપર ટીક કે વિવેચન કાંઈ કર્યું નથી. માત્ર મૂળ પદ્યગાથાઓમાં અધ્યાહાર રાખેલે અર્થ ગદ્યમાં ઉતારતાં સંબંધ સાધવા કે સ્પષ્ટ અર્થ થવા જે કંઈ શબ્દો ઉમેરવા યોગ્ય લાગ્યા છે તે કૌંસમાં મૂકેલા છે. કેઈ વિચારવંત જીવને એ મહાન આચાર્યને વિશ્વત વિષેને ઉપદેશ હદયગત થઈ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે અર્થે આ ભાષાંતર થયેલું છે, એમ એ ગ્રંથ ભાઈ ધારશીભાઈને મોકલાવ્યો ત્યારે સાથેના પત્રમાં તે ગ્રંથનું માહાસ્ય દર્શાવતાં શ્રીમદ્ જણાવે છેઃ
વ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષમ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયેગની પ્રાપ્તિ થાય છે. | દર્શનમેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુગ પરિણમે છે.
જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યકુદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયેગ” થાય છે.
સામાન્યપણે દ્રવ્યાનુયેગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમ વીતરાગ દ્રષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષે તેનાં મુખ્ય પાત્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org