________________
૨૫૪
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા અને ૩૯૫ એમ ત્રણ પત્રોમાં એવું સુંદર રીતે કર્યું છે કે સાંભળનારને કે વાંચનારને તે સિદ્ધાંતનું માહાસ્ય સમજાઈ તેને હદયમાં અચળ છાપ પડે. એવી અસાધારણ વિવેચન શક્તિ કોઈક જ ગ્રંથકારમાં જોવામાં આવે છે.
સં. ૧૯૫૫ ના ફાગણ માસમાં શ્રી અંબાલાલભાઈએ વવાણિયા પત્ર લખી શ્રીમને પુછાવ્યું હતું કે “આત્માનુશાસનના સે લેકેનું ભાષાંતર કાવિઠા છે તે ખંભાત મંગાવી લેવું કે કાવિઠા રાખવું? એ ઉપરથી શ્રીમદે આત્માનુશાસનનું ભાષાંતર પણ કાવિઠા નિવૃત્તિ અર્થે પધાર્યા ત્યારે શરૂ કરી સે લોકો સુધી એટલે ત્રીજા ભાગનું ભાષાંતર કરી દીધું હતું, પણ હજી તે પ્રસિદ્ધ થયું નથી.
શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી બાર ભાવનાઓનું ભાષાંતર કરવાનું પણ શ્રીમદે શરૂ કર્યું હતું અને અનિત્ય અને અશરણ એ બે ભાવનાઓ પૂરી કરી સંસારભાવના વિષે થોડું લખ્યું છે. એટલે અપૂર્ણ લેખ સ્વ. પૂંજાભાઈ હીરાચંદ તરફથી ભાવનાસંગ્રહ સં. ૧૬૯ માં પ્રસિદ્ધ થયે છે તેમાં પ્રથમ પ્રગટ કરવામાં આવ્યો છે. એ લેખ વાંચનારમાંથી કેઈને ભાગ્યે જ એમ લાગે કે તે ભાષાંતરરૂપ હશે. વિચારપ્રવાહ મૂળ લેખકને વહે તેમ સ્વાભાવિક સરળ ભાષામાં તે લખાયેલ છે. વૈરાગ્ય રંગથી રંગાયેલાં એ ઓગણીસ પાન એક વાર જેણે વાંચ્યા હશે તે વારંવાર વાંચ્યા વિના નહીં રહ્યા હોય.
સંપૂર્ણ પુસ્તકનું ભાષાંતર માત્ર એક જ શ્રીમદે કર્યું છે. દિગંબર જૈન આમ્નાયમાં અગ્રગણ્ય શ્રી કુંદકુંદાચાર્યને “પંચાસ્તિકાય ગ્રંથ પ્રસિદ્ધ છે. તેના પ્રથમ અધ્યાયમાં ૧૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org