SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ભાષાંતરો અને વિવેચનો શ્રી દશવૈકાલિક સિદ્ધાંતમાંથી શ્રીમદે સં. ૧૯૪૫ માં “સંયતિ મુનિધર્મ વિષે ૫૧ બેલ લખેલા છે. પ્રથમના આઠ બેલ ચેથા અધ્યયનમાંથી ગુજરાતી ભાષામાં ઉતારેલા છે; નવમાથી છત્રીસમા સુધીના બેલ છઠ્ઠા અધ્યયનની નવથી છત્રીસ ગાથાઓ ઉપરથી લખેલા છે અને છેલ્લા પંદર બોલ ચોથા અધ્યયનની છેવટની ગાથાઓમાંથી લીધેલા છે. કઈ કોઈ વખતે લખી રાખેલા બેલ પ્રસિદ્ધ કરતાં એકત્ર છાપ્યા હોય; તેવા પ્રકારે છૂટક ગાથાઓના સમૂહનું આ અવતરણ હોવા છતાં, મૂળ માગધી ભાષામાં જે રહસ્ય છે તે ટૂંકામાં તેવા જ ગંભીર ભાવદર્શક રહસ્યાત્મક ભાષામાં મૂળ ગાથાએની વાંચનારને આપોઆપ સ્મૃતિ થાય તેવું સરળ ગુજરાતી ભાષામાં અવતરણ કરેલું છે. કોઈ વખતે તે આખી ગાથાને અર્થ ટૂંકા વાક્યમાં સમાઈ જતું હોય તે તે પરમાર્થદર્શક અસરકારક વાક્ય જ મૂકી દીધું છે. જેમકે છઠ્ઠા અધ્યયનની ૧૯મી ગાથાને અર્થ લેભથી તૃણને પણ સ્પર્શ કરવો નહીં એટલે જ કર્યો છે. એ પ્રમાણે શાસ્ત્રની સૂત્રાત્મક શૈલી સાચવીને પરમાર્થ ઉપર લક્ષ રાખીને ગ્રંથકારના હૃદયની વાત આલેખવાની તેમની શૈલી ભાષાંતરોમાં પણ પ્રગટ જણાઈ આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy