________________
૨૫૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
થઈ કહ્યું: મહારાજ, તમને મહાવીરના સેગન છે, આપે જે શાસ્ત્રો વાંચ્યાં છે તેમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ? આથી સાધુ નિરુત્તર થઈ રહ્યા. પછી તેને રેવાશંકરભાઈએ ઠપકે આપી કહ્યું કે આવા સમુદાયમાં આ વાત કાઢવાની હતી? અને તમે આ વાત કરવા તેડાવ્યા હતા? પછી અમે બને ચાલી આવ્યા.
આટલી વાત કહ્યા પછી મને કહ્યું કે મુનિ, જે કઈ જીવ માર્ગ ઉપર આવતું હોય તે તેને નમસ્કાર કરીને પણ માર્ગ ઉપર લાવીએ. પછી મેં પૂછ્યું કે અમને કેઈ અમારું ગુણસ્થાનક પૂછે તે અમારે શું કહેવું?
પરમ ગુરુએ ઉત્તરમાં જણાવ્યું કે દ્રવ્યથી છઠું અને ભાવથી એથું કહેવું.
પાંચમા દિવસની સાંજે અમને સાધુઓને આજ્ઞા થઈ કે પૂર્વે થયેલા દિગંબર સાધુઓને દેહાંત પછી સ્મરણાર્થે કરાવેલી ઘૂમટાકારે છત્રીઓ છે, તેમાં તે સાધુઓની ગમુદ્રાઓ છે તે સ્થળે જવું. તેથી અમે સાતે સાધુઓ ત્યાં ગયા. આ જગ્યા સ્વાભાવિક વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી, અને વૃત્તિઓ શાંત થાય તેવી નિર્જન ભૂમિકા છે. ઉદાસીનતા અને અસંગતાના વિચાર સ્ફરે, વૈરાગ્યની વૃદ્ધિ થાય, એ ત્યાને ક્ષેત્રપ્રભાવ જણાયે. તેની સમીપ સ્મશાનભૂમિ હતી.
એટલામાં જ એક પ્રાચીન ગુફા, પાસે કુંડ જળથી ભરેલો તથા એક છૂટ ઊંચે પથ્થર ધ્યાનના આસન જેવે હતે તે જોતા જોતા ચાલ્યા. એ ગુફામાં પરમકૃપાળુ દેવ દોઢ માસ રહેલા એવું ઈડરનિવાસી એક ભાઈએ કહેલું. આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org