________________
૨૯
ઈડરના પહાડ ઉપર
એ વાત પૂર્ણ થયા પછી મુનિશ્રી મેહનલાલજીએ પ્રશ્ન કર્યો: “અમને કોઈ પૂછે કે તમારો ગચ્છ ? અને પ્રતિક્રમણ કર્યું કરે છે? ત્યારે અમારે શું કહેવું?
પરમકૃપાળુ દેવે ઉત્તર આપેઃ “તમારે કહેવું કે અમે સનાતન જૈન છીએ; અને પાપથી નિવૃત્ત થવું એ અમારું પ્રતિકમણ છે. તે જ પ્રસંગે તેઓશ્રીએ કહ્યું : મુનિઓ, જીવને અનંતકાળ પરિભ્રમણ કરાવનાર માન છે, માન એવું બળવાન છે કે તેણે મોટા મોટાને પણ મારી નાખ્યા છે. અમે એક વખત મોરબી પાસેના ગામમાં લીમડી સંઘાડાના સાધુ મેટા જીવણજી પાસે ગયેલા, ત્યાં વાતના પ્રસંગે તેમની જન્મતિથિ, નક્ષત્ર અમુક હવું ઘટે છે એમ અમે કહ્યું. તેથી તેણે કહ્યું કે આ વાત આપે શાથી જાણી? ત્યારે અમે કહ્યું કે આત્માની નિર્મળતાથી આ બધું જાણ શકાય છે. પણ આ વાત સમજવા તેને વિશેષ ઉત્કંઠા રહી તેથી અમારા મેરખી જવા પછી તેઓ મેરબી આવ્યા અને રેવાશંકરભાઈને મળી અમને ઉપાશ્રયે લાવવા વારંવાર કહ્યા કરતા. આથી એક દિવસે રેવાશંકરભાઈએ અમને કહ્યું કે ઉપાશ્રયે ચાલે, મહારાજ આપને યાદ કરે છે. ત્યારે અમે કહ્યું કે પરિણામ સારું નહીં આવે, તેમની ઈચ્છા આત્માર્થની નથી. છતાં રેવાશંકરભાઈના આગ્રહથી તેમની સાથે અમે ઉપાશ્રયમાં ગયા. આ વખતે ઘણું માણસે એકઠાં થયાં અને ઉપાશ્રય ખીચખીચ ભરાઈ ગયે. અમે બેઠા પછી મહારાજે પેલી વાત પડતી મૂકી પૂછ્યું કે શાસ્ત્રમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ? આ સાંભળી અમે મૌન રહ્યા, પરંતુ સાધુએ પુનઃ એ જ પ્રશ્ન પૂછ જારી રાખ્યું, ત્યારે અમે ઊભા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org