________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મુનિ શ્રી દેવકરણજી તે આ સમાગમની ખુમારીમાં પ્રમોદ પ્રગટતાં, ઉલ્લાસપૂર્વક બોલી ઊઠ્યા: “અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમ ગુરુને થયે, તેમાં આ સમાગમ સર્વોપરી થયે. દેવાલયના શિખર ઉપર કળશ ચઢાવે છે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે; સર્વોપરી સમજાય છે.”
પછી “આત્માનુશાસન ગ્રંથના કર્તા શ્રી ગુણભદ્ર આચાર્ય પાછળના ભાગમાં અતિ અદ્દભુત જ્ઞાનમાં રેલ્યા છે. તે આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે, એમ કહી વાંચી સંભળાવ્યું.
ઈડરના સમાગમમાં એક વખતે તે જ આંબા તળે કૃપાળુદેવે કહ્યું હતું: “મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણામાંથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિના કારણે લબ્ધિ પ્રગટાવે તેવી હતી, તે એવી કે અમે ત્રણ ચાર કલાક બંધ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે તેને લખી લાવવા કહીએ તે તે બધું અમારા શબ્દોમાં જ લખી લાવતા. હાલ પ્રમાદ અને લેભાદિના કારણથી વૃત્તિ શિથિલ થઈ છે, અને તે દેષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાથી જાણતા હતા. તે સાંભળી મારા મનમાં ખેદ થવાથી મેં જણાવ્યું, “શું તે એમ ને એમ જ રહેશે?” ત્યારે પરમ ગુરુએ કહ્યું: “મુનિ, ખેદ કરશે નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું કઈ એક જાળા આગળ અટકી જાય, પણ ફરી પૂર-પ્રવાહના વહનમાં જાળાથી જુદું પડી છેક મહાસમુદ્રમાં જઈ મળે, તે પ્રમાણે તેને પ્રમાદ અમારા બેધથી દૂર થશે અને તે પરમ પદને પામશે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org