________________
જાતિસ્મરણજ્ઞાન
સં. ૧૯૪૬, પ્રથમ ભાદરવા સુદ ૬ના પત્રમાં પૂર્વભવના સ્મરણનું સમર્થન કરે છે, તે પત્ર :–
“પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કઈ પણ પ્રકારે તમારે અવિનય, આશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કેઈ પણ ગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું.
અંતર્તાનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણને નથી વા સાંભરતું નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંક૯પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય; અને એ વડે “સમાધિ” ન ભૂલ્યા હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે.
વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વછંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવે પર ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લેભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે.
વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકે એવા કેટલાક પદાર્થો (સ્ત્રી આદિક) તે અનંતવાર છેડતાં, તેને વિયેગ થયાં અનંત કાળ પણ થઈ ગયે; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે જે વેળા તે પ્રીતિભાવ કર્યો હતે તે તે વેળા તે કલ્પિત હતે. એવે પ્રીતિભાવ કાં થયે? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org