________________
૨૪૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ લગભગ એક વાગ્યાનો સમય થયે હેવાથી પરમકૃપાળુ દેવ સહિત અમે મુનિમંડળે ગામ તરફ ગમન કર્યું. રસ્તામાં ચાલતાં “વ્યસંગ્રહની પહેલી ગાથાનું ધૂનમાં રટણ કરતાં દિવ્ય ધ્વનિ પ્રસરી રહે. નાગ જેમ મેરલીના ધ્વનિ પર એક્તાર થઈ જાય તેમ પરમકૃપાળુદેવની ધ્વનિથી ઊઠતા આનંદમાં અમે એકતાર થઈ જતા. તે ગાથા– * जीवमजीवं दव्वं जिणवरवसहेण जेण णिदिटुं । देविंदविंदवंदं, वंदे तं सव्वदा सिरसा ॥१॥
—કળ્યસંગ્રહ –થો દિવસ– મધ્યાહ્ન પછી ઠાકરશીને ઉપાશ્રયમાં મોકલી અમને સાતે મુનિઓને બોલાવ્યા. અમે તેની સાથે ગયા. ડુંગરની તળેટીમાં પરમકૃપાળુ દેવના દર્શનને લાભ થયે. ઉપર જતાં પહેલાં દેરાસરની કૂંચીઓ લેવા ઠાકરશીને મોકલ્યા, અને અમે ચરણ સમાપ બેસી રહ્યા તે વખતે શ્રી મેહનલાલજીએ વિનંતિ કરી કે આહાર કરી રહ્યા પછી મુહપત્તી (મુખવસ્ત્રિકા) બાંધતાં મને વાર થાય છે તેથી મહારાજ મને દંડ આપે છે, ત્યારે પિતે આજ્ઞા કરી કે બધા મુહપત્તી કાઢી નાખે, અને ઈડરની આસપાસ ૨૦ ગાઉ સુધી બાંધશે નહીં. કેઈ આવી પૂછે તે શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું.
* અર્થ : દેવોના ઇન્દ્રોને પણ પૂજય જે જિનવરોમાં ઉત્તમ એવા તીર્થકર ભગવાને જીવ અને અજીવ દ્રવ્યનું નિરૂપણ કર્યું છે, તેને મસ્તક નમાવીને (સર્વદા સર્વ પ્રકારે) સદા વંદન કરું છું.
જીવ અજીવ પદાર્થો, જિનવરરાજે જણાવિયા તેને; દેવેન્દ્ર વૃન્દ વંદિતને વંદું શીર્ષ સદા નમાવીને.
Jain Education International
For Personal & Private Use Only
. www.jainelibrary.org