________________
૨૪૨
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા થઈ હતી. સરૂની આજ્ઞાથી તે પહાડ ઉપરનાં વીતરાગ પ્રતિમાજીનાં દર્શન થતાં અમારા આત્મામાં જે ઉત્કૃષ્ટ ભાવની શ્રેણી પ્રગટ થયેલી તે વચનાતીત છે.
ડુંગર ઉપર જ્યાં જ્યાં પરમકૃપાળુ દેવ વિચર્યા હતા, તે સર્વ સ્થળ ઠાકરશીએ બતાવ્યાથી તે તે ભૂમિને ધન્ય માની, પ્રશસ્ત ભાવના ભાવતા અમે ઉપાશ્રયમાં આવ્યા.
–ત્રીજે દિવસ– ત્રીજે દિવસે પ્રાતઃકાળમાં તે જ આંબાના વૃક્ષ નીચે આવવા અમને આજ્ઞા થઈ હતી તે પ્રમાણે ત્યાં ગયા. પિતે પણ પધાર્યા. આ વખતે મુનિ શ્રી દેવકરણજીનું શરીર કૃશ હોવાના કારણે ધ્રુજતું હતું. ઋતુ શિયાળાની હોવાથી ઠંડી ઘણી હતી તેથી શ્રી લક્ષ્મીચંદજીએ કપડું ઓઢાડ્યું, તે જોઈ પરમ કૃપાળું બોલ્યા : “ટાઢ વાય છે? અને કહ્યું કે “ટાઢ ઉડાડવી છે?” એમ કહી, પિતે ઊભા થઈ ચાલવા માંડ્યું. અમે સર્વ તેમની પાછળ ચાલવા લાગ્યા. તેઓશ્રી તે ઝડપભેર કાંટા, કાંકરા, જાળાં, ધારવાળા પથ્થરમાં દેહની દરકાર કર્યા વિના આ પગે ચાલતા હતા. અમે પણ પાછળ તેમના ચરણનું આલંબન ગ્રહણ કરી ચાલતા હતા. એટલામાં એક વિશાળ શિલા આવી. તેના ઉપર પૂર્વાભિમુખ પિતે બિરાજ્યા. અમે સન્મુખ બેઠા. પછી પુઢવી શિલા ઉપર ભગવાન બિરાજ્યાનું શાસ્ત્રમાં જે લખ્યું છે, તેને અર્થ કરી કહ્યું કે આ પુઢવી શિલા. પછી એ શિલા સંબંધી કેટલુંક વર્ણન કર્યું. અને તે જ શિલા પર “બૃહદ્ દ્રવ્યસંગ્રહ વાંચવાનું શરૂ કર્યું. તે “બૃહદ્ દ્રવ્યસંગ્રહ’ ગ્રંથ ઈડરના દિગંબર જૈન પુસ્તક ભંડારમાંથી પિતે કઢાવ્યું હતું. તે ગ્રંથ લગભગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org