________________
२४१
ઈડરના પહાડ ઉપર (३) मा चिट्ठह मा जंपह मा चिंतह किंवि जेण होइ थिरो। अप्पा अप्पमि रओ, इणमेव परं हवे ज्झाणं ॥५६॥
– દ્રવ્યસંગ્રહ તે વખતની વીતરાગતા અને આત્મસ્થિરતા તથા દિવ્ય દર્શનીય સ્વરૂપસ્થ દશા જોઈ અમે અપૂર્વ શાંતિ અનુભવી તેનું અંતર–આલેખન થઈ ગયું છે, તે વિસ્મૃત થાય તેમ નથી. ધ્યાન પૂરું થતાં પિતે અમને “વિચારશે એટલું જ કહી ચાલતા થયા. અમને વિચાર આવ્યા કે લઘુશંકાદિ કરવા જતા હશે, પરંતુ તેઓ તે નિઃસ્પૃહપણે ચાલ્યા જ ગયા. અમે થોડીવારે એટલામાં તપાસ કરી પરંતુ દર્શન થયાં નહીં તેથી પશ્ચાત્તાપ કરતાં ઉપાશ્રયમાં આવ્યા. આહાર આદિથી નિવૃત્ત થયા એટલે ઠાકરશી અમારી પાસે આવ્યા. અમે પૂછ્યું કે દેવકરણજીને પત્ર લખવા સંબંધે શું થયું? ઠાકરશીએ કહ્યું કે પત્ર લખેલ છે, રવાના કર્યો નથી.
તે જ સાંજના મુનિ શ્રી દેવકરણજી પણ આવી ગયા. પછી ઠાકરશી સાથે ડુંગર ઉપર દર્શનાર્થે જવાની આજ્ઞા થવાથી, ઉપરનાં દેરાસરોની કૂંચીઓ મંગાવી, દિગંબર, Aવેતાંબર બંને દેરાસરે ઉઘડાવી દર્શન કર્યા. વીતરાગ મુદ્રા એટલે જિનપ્રતિમાનાં દર્શન કરવાની આજ્ઞા અમને પ્રથમ અહીં
(૩) કાયાથી કઈ પણ ચેષ્ટા (ક્રિયા) ન કરે, વચનથી કઈ પણ ઉચ્ચાર ન કરે, મનથી કોઈ પણ વિચાર ન કરે, તો તેથી સ્થિર થશો; આત્મા આમ આત્મામાં રમણતા કરે તે પરમ ધ્યાન થાય. કાંઈ કરે ના ચેષ્ટા, વિચાર, ઉચ્ચાર જેથી સ્થિર બને, અંતર આત્મ-રમણતા તે તલ્લીનતા પરમ ધ્યાન ગણે. ૫૬ ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org