________________
ઈડરના પહાડ ઉપર
૨૩૯ મળશે એમ જાણી આવ્યા છીએ. મુનિ દેવકરણજી પણ પાછળ આવે છે. મારા અંતરમાં થયું કે મને પૂરે સમાગમ વસમાં થયેલ નથી. ઘણું માણસોને પરિચય રહેવાથી વસેમાં બરાબર લાભ અમારાથી લેવા નથી, તે હવે નિવૃત્તિમાં આપને સમાગમ વિશેષ થશે એમ ધારી આ તરફ આવવા વિચાર થયે એટલે આવ્યા છીએ. અમે વિહાર કર્યો ત્યારે દેવકરણજી કહે: અમારે પણ લાભ લે છે. ઘણા દિવસ બોધ દીધું છે. તમારે આત્મહિત કરવું છે, તે શું અમારે નથી કરવું ? આમ કહી તે પણ પાછળ આવે છે.”
આ સાંભળી શ્રીમદ્ સહજ ખિજાઈને બેલ્યા: “તમે શા માટે પાછળ પડ્યા છે? હવે શું છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી ચાલ્યા જાઓ. દેવકરણજીને અમે ખબર આપીએ છીએ તેથી તે આ તરફ નહીં આવતાં બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ, કેઈના પરિચયમાં આવવા અમે ઈચ્છતા નથી; અપ્રસિદ્ધ રહીએ છીએ. ડોક્ટરના તરફ આહાર લેવા નહીં આવતા; બીજા સ્થાનેથી લેજો, અને કાલે વિહાર કરી જવું.” | શ્રી લલ્લુજીએ વિનંતિ કરી : “આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈશું. પરંતુ મોહનલાલજી અને નરસીરખને અહીં આપનાં દર્શન થયાં નથી. માટે આપ આજ્ઞા કરે તે એક દિવસ રોકાઈ પછી વિહાર કરીએ.”
શ્રીમદે જણાવ્યું : “ભલે, તેમ કરો.”
ઈડરના સમાગમ વિષે શ્રી લલ્લુજી સ્વામીએ લખાવેલ પરિચયમાં નીચે પ્રમાણે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org